નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) વિરુદ્ધ શુક્રવારે દિલ્હીની જામા મસ્જિદમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન અટકાયતમાં લેવાયેલા 40 લોકોને દિલ્હી પોલીસે અડધી રાત પછી છોડી મૂક્યા છે. એવું કહેવાય છે કે આ લોકોને શનિવારે વહેલી સવારે છોડી મૂકવામાં આવ્યાં. અત્રે જણાવવાનું કે જામા મસ્જિદમાં થયેલા વિરોધ પ્રદર્શન બાદ પોલીસે કેટલાક લોકોને અટકાયતમાં લીધા હતાં. ત્યારબાદ આ લોકોને છોડવા માટે પોલીસ મુખ્યમથક બહાર લોકોએ ધરણા ધર્યા હતાં. ત્યારબાદ અટકાયતમાં લેવાયેલા લોકોને છોડવામાં આવ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CAA: દિલ્હી પોલીસ મુખ્યમથક પાસે પ્રદર્શનકારીઓના ધરણા, અટકાયતમાં લેવાયેલા લોકોને છોડવાની માંગ


આ ઉપરાંત પ્રદર્શનમાં સામેલ થવા માટે પહોંચેલા ભીમ આર્મી (Bhim Army Chief) ના ચીફ ચંદ્રશેખરને દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા છે. રાતે લગભગ 3 વાગે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરને પોલીસ પોતાની સાથે લઈ ગઈ. અત્રે જણાવવાનું કે શુક્રવાર સવારથી જ ચંદ્રશેખર જામા મસ્જિદ પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતાં. ત્યારબાદ જંતર મંતર માર્ચ માટે નીકળ્યા ત્યારે ભીડથી ગાયબ થયા હતાં. 


CAA વિરોધ પ્રદર્શન: UP માં 24 કલાકમાં 6 પ્રદર્શનકારીઓના મોત, ઘણા લોકો ઘાયલ


પરંતુ સાંજે અચાનક ચંદ્રશેખર ભીડમાં વચ્ચે પહોંચી ગયા અને ભાષણ આપવા લાગ્યા હતાં. આ દરમિયાન અનકવાર જામા મસ્જિદના શાહી ઈમામે લોકોને લાઉડ સ્પીકરથી જવા માટે પણ વિનંતી કરી. મોડી રાતે પોલીસે પણ લાઉડ સ્પીકરથી પ્રદર્શન કરી રહેલા લોકોને ઘરે જવાનો આગ્રહ કર્યો હતો અને કહ્યું હતું કે આ ધાર્મિક સ્થળ છે અને અહીં પ્રદર્શન થઈ શકે નહીં. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....